Wednesday 27 May 2015

આ સરકારી ભરતી છે કે ભીખ?

ગ્રંથપાલ ની સરકારી અને અનુદાનિત કોલેજો મા  ભરતી છેલ્લા બે દાયકા થી એક તો થય નથી અને વળી પાછી આ ભરતી આટલે વરસે આવી એમાં પણ ૩૬ જગ્યાઓં માટે .કોલેજ ગ્રંથપાલ માટે લાયકાત છે નેટ/સ્લેટ અથવા પીએચડી. આપણી વિકાસમા માનતી સરકારે લાયકાત તો આજ માંગી પણ પગાર રાખ્યો ૧૩૭૦૦ અને વર્ગ -૩ મા કરી રહી છે.કોઈ પ્રકારના અનુભવ કે સંશોધનને મહત્વ નથી આપ્યું.આટલુ ઓછું હોઈ એમ પરીક્ષા લેવાના છે જેમાં ૬૦% પરીક્ષાના અને ૪૦% મેરીટ ના.આ ઉપરાંત પરીક્ષાના સિલેબસ અને પૂછાનાર પ્રશ્નો વિષે વિષમતા છે.પરીક્ષાની ભાષા વિષે કોઈ સ્પષ્ટતા નથી.પેપર સ્ટાઈલ નથી. નેટ/સ્લેટ પરીક્ષા અને પીએચડી ની લાયકાત નુ શું મહત્વ છે?શું આ પોતાના સગા -વહાલોને નોકરી મા બેસાડી દેવા માટે કરવામાં આવેલું કારસ્તાન નથી લાગતું? અંધેરી નગરી ગંડુ રાજા ,ટકે શેર ભાજી ટકે શેર ખાજા.આ ભરતી કહી શકાય કે ભીખ?જો આ અન્યાયી નીતિ ચાલુ રાખવામાં આવશે તો આખા રાજ્યના ગ્રંથપાલો ભેગા થય ને લડત આપશે.

ગ્રંથપાલ મિત્રો ને અનુરોધ કે પોતાના શહેર ના છાપામાં આ પ્રેસનોટ છપાય એવું કરવું.

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.